મોટાભાગના લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખે છે. તમે ફરાળી વાનગીમાં જીરા સાથે બટાકાનો સમાવેશ કરી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આવો જાણીએ બનાવવાની રીત-
સામગ્રી –
1 ચમચી જીરું
3 ચમચી સમારેલી કોથમીર
શેકેલી મગફળી
સ્વાદ મુજબ સિંધવ મીઠું
3 ચમચી દેશી ઘી
4 મોટા બાફેલા બટાકા (300 ગ્રામ)
2 લીલા મરચા
1 ચમચી કાળા મરી
રીત:
ઉપવાસમાં ખાવા માટે બટેટા બનાવવા માટે સૌપ્રથમ બટેટાને સારી રીતે ધોઈ લો. આ પછી કૂકરમાં 2 ગ્લાસ પાણી નાખીને બાફી નાખો. 3 સીટી પછી ગેસ બંધ કરી દો, જ્યારે કૂકરનું પ્રેશર નીકળી જાય, ત્યારે ઢાંકણને ખોલીને બટાકાને બહાર કાઢી લો. તે ઠંડા થાય પછી તેને છોલીને બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં દેશી ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને તતડાવો, પછી બાફેલા બટાકાને થોડું-થોડું મેશ કરીને તેમાં નાખો. બટાકાને ઘી સાથે સારી રીતે શેકી લો. 5 મિનિટ પછી તેમાં કાળા મરી અને મીઠું નાખીને મિક્સ કરી લો. મગફળી નાખ્યા પછી, વધુ 2 મિનિટ ફ્રાય કરો, પછી લીલા ધાણા ઉમેરો અને ગરમ શાકનો આનંદ લો. તમે ઈચ્છો તો મગફળીને ઘીમાં પણ મિક્સ કરી શકો છો.
(Disclaimer- આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો અને માન્યતાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્રને માત્ર માહિતી આપવાનો છે. તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ ધ્યાનમાં લેવી. આ સિવાય, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)