ગુજરાતના બેચરાજી વિસ્તારના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે, સરકારે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ બેચરાજી એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે નિર્ણય લીધો હતો અને 21 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, એમ તેમના કાર્યાલય તરફથી રવિવારે એક નિવેદનમાં જણાવાયું હતું.
નિવેદન અનુસાર, આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે આ વિસ્તારમાં બેચરાજી શક્તિપીઠ, શંખલપુર તીર્થસ્થળ, વલ્લભ ભટ્ટની વાવ, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MB-SIR)માં મારુતિ સુઝુકીનો કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને લગભગ 30 અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. બેચરાજી એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી શંખલપુર, કાલરી, ગણેશપુરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાના અને એડલા જેવા વિવિધ ગામોના 825-હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
આ નિર્ણય સાથે, રાજ્ય સત્તાવાળાઓ આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરી શકશે જેનથી રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બગીચા અને ડ્રેનેજ જેવી વિવિધ પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો માર્ગ મોકળો કરશે. તેનાથી આ વિસ્તારમાં નવા રોકાણની શક્યતાઓ સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટર અને સભ્ય સચિવ તરીકે મહેસાણાના નિવાસી અધિક કલેક્ટર હશે. તેમાં મુખ્ય નગર નિયોજક, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર જેવા સભ્યો પણ હશે. સત્તામંડળના સભ્યો તરીકે ચાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હશે.