મહારાષ્ટ્રમાં પશ્ચિમી કાંદિવલીના મહાવીરનગરના પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આઠ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપોરે 12.27 વાગ્યે આ આગ લાગી હતી.
કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં 8 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગનું નામ પાવન ધામ વીણા સંતૂર ભવન હોવાનું સામે આવ્યું છે ઉપરાંત બિલ્ડિંગના બીજા માળે આવેલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. આખી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી અને રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, આગ લેવલ-2ની છે. આગ લાગવાની સૂચના મળતા જ ફાયર એન્જીન, પાણીના ટેન્કર સહિત ફાયર બ્રિગેડના 8 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.