ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩નો બંને દિવસના અંતે ભાવનગરની વિવિધ શાળામાંથી નવથી દસ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં બીજા દિવસે ફિલાટેલી સેમિનાર અને ક્વીઝ સ્પર્ધા યોજાયેલ હતી, તેમાં ભાવનગરની વિવિધ શાળાઓમાંથી ૧૬ શાળાના બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે ફીલાટેલી વિશે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનને અંતે ફાઇનલમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આજના દિવસે સંત શિરોમણી બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમની પૂર્ણાહુતિ અંતિમ દિવસે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રનાં પોસ્ટમાસ્તર જનરલ બી. એલ સોનલ, ગુરુઆશ્રમ બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા, ટ્રસ્ટી યોગેશ સાગર અને બજરંગદાસબાપાનો સેવક સમુદાય ખાસ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે ભાવનગર ડિવિઝનના ડાક અધિક્ષક અને ભાવપેક્ષ કમિટીના ચેરમેન ડી.એચ તપસ્વીએ આભાર માન્યો હતો.