Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

આજે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : 31 ઓક્ટોબર - સરદાર પટેલની જયંતીએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારંભમાં ભાગ

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:25:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તે કેટલીક વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરવા અને સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારંભમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતીએ સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.
પીએમ આજે મહેસાણા જિલ્લાના ખેરાલુના ડભોડામાં એક સાર્વજનિક સભામાં લોકોને સંબોધિત કરશે અને કેટલીક વિકાસ પરિયોજનાઓને ખુલ્લી મુકશે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ અંબાજી ખાતે પૂજા-અર્ચના કરશે. તથા બે દિવસના પ્રવાસ દરમિયાન 5,950 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે
31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે હેરિટેજ ટ્રેન દોડશે. આ ટ્રેનમાં 144 લોકો મુસાફરી કરી શકશે તેમજ 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ સુવિધા પણ રખાઈ છે. 4 કોચની આ ટ્રેનમાં શતાબ્દી ચેરકાર જેટલું ભાડું લેવાશે. અગાઉ અમદાવાદથી વિસ્ટાડોમ કોચ સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે હેરિટેજ ટ્રેન ચલાવવાથી દિવાળી વેકેશનમાં ફરવા આવનાર મુસાફરોને એક અલગ અનુભવ થશે. ચાલુ ટ્રેનમાં રેસ્ટોરન્ટની જેમ જમવાનો પણ અલગ જ અનુભવ થશે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે.

Tags: gujaratmodi visite today
Previous Post

આજે શરદ પૂર્ણિમા, જાણો શુભ યોગ, સમય અને પૂજા વિધિ અંગેની સંપૂર્ણ માહિતી!

Next Post

ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનો બોમ્બનો વરસાદ અત્યાર સુધી 8 હજારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનો બોમ્બનો વરસાદ અત્યાર સુધી 8 હજારના મોત

ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનો બોમ્બનો વરસાદ અત્યાર સુધી 8 હજારના મોત

આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 થયો: 50 મુસાફરો ઘાયલ

આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 થયો: 50 મુસાફરો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.