ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સિરપના સેવનને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત અન્યોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યે 72 વર્ષીય સાંકળભાઈ સોઢાનું 7 દિવસની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. તેઓ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર હતા. 7 દિવસની સારવાર દરમિયાન તેમની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો જે બાદ આજે વહેલી સવારે તેઓ મોતને ભેટ્યા છે.