સુરેન્દ્રનગરના ઇંગરોડી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરીને આવેલા અલ્લારખા ડફેર, ફિરોજખાન જત મલેકને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં PSIને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પોલીસને બાતમી મળી હતી કે ઇંગરોડી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓ છુપાયેલા છે, આ બાતમી મળતા LCB પોલીસ, બજાણા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા તથા ટીમ ઇંગરોડી પહોંચી હતી. આ દરમિયાન પોલીસની ટીમ ઉપર હુમલાનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં પીએસઆઇ આર.એચ. ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિકના ધોરણે લખતર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા.
આખરે આ બન્ને આરોપીઓને પોલીસ દબોચવામાં સફળ રહી હતી. બે ગુજસીટોકના ગુનાના પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.