બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા મિચૌંગ વાવાઝોડાને કારણે આવેલા પૂરથી તમિલનાડુના 1.2 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ચેન્નાઇ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.
ગુરૂવારે ચેન્નાઇ જતી 15 ટ્રેનને રદ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરથી તમામ સ્કૂલ અને કોલેજ બંધ છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં 23 કિલોગ્રામ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. DMK સાંસદ ટીઆર બાલૂએ સંસદમાં જણાવ્યુ કે રાજ્યમાં 47 વર્ષ પછી આવી સ્થિતિ બની છે. ચેન્નાઇમાં એક દિવસમાં સૌથી વધુ 50 સેમી વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે 20 લોકોના મોત થયા છે. શહેરના કેટલાક ભાગમાં ત્રણ દિવસથી વિજળી અને ઇન્ટરનેટ બંધ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 5060 કરોડ રૂપિયાની મદદ માંગી છે. પીએમ મોદીએ એક્સ પર વાવાઝોડાને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને લઇને સંવેદના વ્યક્ત કરી હતી.