RBI એમપીસીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. MPCની બેઠક બાદ આરબીઆઇ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂતી બતાવી છે. બેન્કોની બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી છે. કેન્દ્રીય બેન્કની MPCએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નરે FY24માં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ 2023-24ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની આગાહી કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેંક જૂન 2024 સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે RBIનો ટાર્ગેટ મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવાનો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેબ્રુઆરીથી આયોજિત તમામ નાણાકીય નીતિની બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25 પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.