રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતમભાઇ સોલંકી દ્વારા તાજેતરમાં શિવકુજ આશ્રમ અધેવાડા ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
કોળી સમાજના પ્રદેશ યુવા નેતા દિવ્યેશ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્યો, ભાજપના શહેર જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો, કોળી સમાજના આગેવાનો, સંતો મહંતો સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.