અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, વિપક્ષના તમામ મોટા નેતાઓ અને રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ આમંત્રણ કેટલાક માટે રાજકીય તક અને અન્ય માટે રાજકીય મૂંઝવણ કહેતા ધર્મસંકટ પેદા કરી છે. કોંગ્રેસ હાલમાં રાજકીય સંકટનો સામનો કરી રહી છે. આ કાર્યક્રમમાં જો કોઈ ભાગ લે તો પણ સંભવિત નુકસાનનો અંદાજ છે અને ના જવા પર ભાજપના ધ્રૂવિકરણથી બચવાનો પડકાર છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કાર્યક્રમમાં કોઈ હાજરી આપવાનું છે કે નહીં. કોંગ્રેસે હજુ સુધી આ મુદ્દે પોતાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરી નથી. કોંગ્રેસ તરફથી નિર્ણય લેવામાં થયેલો આટલો વિલંબ એ બતાવવા માટે પૂરતો છે કે દેશની સૌથી જૂની પાર્ટી ધર્મસંકટમાં મુકાઈ છે. દુવિધા ભાજપના હિંદુત્વવાળા ટ્રેપમાં ફસાવાની, મુસ્લિમ વોટબેંકની દુવિધા અને વિચારધારાને વળગી રહેવાની દુવિધા છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, સમજી-વિચારીને સ્ટેન્ડ લેવું પડશે અને અમારું અગાઉનું સ્ટેન્ડ પણ યાદ રાખવું પડશે. આ સમયે અમે આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરી રહ્યાં નથી. ખૂબ જ બેદરકારીથી લેવામાં આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા અંગે કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે તેના પર પણ પાર્ટીની ભાવિ રણનીતિનો આધાર રહેશે.