Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડામાં હિન્દૂ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ

અજાણ્યા બદમાશોએ 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 13:05:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડાના સરેમાં એક અગ્રણી હિન્દુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા બદમાશોએ 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સરેને ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે. આ શહેરમાં એક ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ ઘટનાના આજદિન સુધી કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં 27 ડિસેમ્બર, 2023ના રોજ સવારે લગભગ 8:03 વાગ્યે બની હતી. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના નિવેદન અનુસાર, જે નિવાસસ્થાને ગોળી ચલાવવામાં આવી હતી તે સરેના લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ ગોળીથી ઘરને નુકસાન થયું હતું.
કેનેડામાં હિંદુ સમુદાય ખાલિસ્તાની જૂથોની વધતી હાજરી તેમજ મંદિરોને નિશાન બનાવીને વધતા હુમલાઓ અને તોડફોડ સાથે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ ઘટના બની છે. ગયા મહિને ખાલિસ્તાન તરફી લોકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને હેરાન કર્યા હતા. વાસ્તવમાં, જ્યારે ભારતીય દૂતાવાસના અધિકારીઓ મંદિરમાં આવ્યા હતા, ત્યારે શીખ ફોર જસ્ટિસના સમર્થકોએ ત્યાં હંગામો મચાવ્યો હતો. ત્યારે મંદિરના પ્રમુખ સતીશ કુમારે કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકોની સંખ્યા 25 હતી અને હિંદુ મંદિરમાં 200 લોકો હતા, તેથી હોબાળો શાંત થયો હતો. આ ઘટનાના એક મહિના બાદ સતીશ કુમારના મોટા પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું.

Tags: canadafiringtemple's precident son home
Previous Post

9 ક્રિપ્ટો પ્લેટફોર્મને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ મોકલી નોટિસ

Next Post

મોદી આવતી કાલે અયોધ્યામાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મોદી આવતી કાલે અયોધ્યામાં

મોદી આવતી કાલે અયોધ્યામાં

AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.