ભાવનગરની કોર્ટમાં ટ્રાન્સફર થઈને આવેલા ધી નેગોશીએબલ ઈન્સ્ટ‰મેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેનો ફોજદારી કેસ ચાલી જતા અદાલતે સાક્ષી, પુરાવા તથા વકીલોની દલીલો ધ્યાનમાં લઈને ૬ માસની જેલની સજા તથા ચેકની રકમનો દોઢ ગણો ૯૭.૬૩ લાખ ચુકવી આપવા હુકમ કર્યો હતો.
ફરિયાદી કલોલ સ્ટીલ એન્ડ એલોય પ્રા.લી. ના ઓર્થોરાઈઝન પર્સન સતપાલ વિલાયતીરામ સિંઘલ પાસેથી આરોપી મેસર્સ સાંઈબાબા એગ્રીકોના માલીક દ્વારકાપ્રસાદ રામમુરત દુબેએ લોખંડનો સ્ક્રેપ માલ ખરીદ કરી લઈ ગયેલ. જે માલની રકમ પેટે કુલ રૂ.૭૦,૧૧,૮૮૬/– ૨કમના એકસીસ બેંક દાહોદ શાખાના ચેકો લખી આપી તે ચેક ફરિયાદીએ તેમના ખાતમા જમા કરાવતા તે ચેકો આરોપીના ખાતામા પુરતુ ભંડોળ ન હોવાના કારણે સદર ચેકો પરત ફર્યા હતા ત્યારબાદ ઉપરોકત ચેકો રીર્ટન થવાના કારણે આરોપી સામે ફરિયાદીએ દાહોદ કોર્ટમા ફરિયાદ દાખલ કરેલ જેમા આ કાયદામા સુધારો આવતા ઉપરોકત કેસો ભાવનગર કોર્ટમા ટ્રાન્સફર થયેલા હતા. ઉપરોકત તમામ કેસો ધી નેગોશીએબલ ઈન્સ્ટ‰મેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નં.૪૭૩૧/૨૦૧૬ થી ફો.કે.નં.૪૬૩૮/૨૦૧૬ થી ભાવનગરના ચોથા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ટી.એસ.પંજાબીની કોર્ટમા ફરિયાદ પક્ષનો પુરાવો લીધા બાદ આ મેટર ફાઈનલ દલીલ પર આવતા વકીલ ચેતન બી. આÂસ્તક, નદીમ.આર. મહેતર, પ્રકાશ.ડી.બોરીચાની દલીલો, રજુ કરેલા આધાર પુરાવા,સાક્ષીઓ વિગેરેને ધ્યાને લઈ નામદાર અદાલતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ‰મેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે તમામ કેસોમા આરોપી સામેનો ગુનો સાબિત માની કસુરવાન ઠરાવી આરોપીને ૬ માસની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમનું કુલ વળતર રોકડા રૂ.૯૭,૬૩,૬૬૫ પુરા દિન ૬૦ મા ફરિયાદીને ચુકવી આપવા હુકમ કર્યા.