ભાવનગરથી બે ભાવિકો સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોચી ભગવાન રામલલાના દર્શન કરશે ભાવનગરના નેશનલ સાયકલીસ્ટ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી (ઉ.વ.૪૪)અને જયમીત ત્રિવેદી (ઉ.વ.૨૪)આ બન્ને મિત્રો આજે શહેરના નિલમબાગથી અયોધ્યાની સાયકલયાત્રાએ નિકળ્યા છે. સંતો તથા વડિલોએ આ બંન્ને આર્શિવાદ આપી શુભેચ્છા પાઠવી હતી.
સાયકલીસ્ટ નિમેષ જીવરાજાણીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુઓ આ અવસરની પ્રતિક્ષા ૫૦૦ વર્ષથી કરી રહ્યા હતા ઘણી પેઢીઓ આ રામ મંદિર બનવાની પ્રતિક્ષામાં જતી રહી અને અમે આ મંદિર બનતા અમારી નજર સમક્ષ જાઈ રહ્યા છીએ. સાયકલીંગએ મારી હોબી છે અને જ્યારે આપણી સમક્ષ અયોધ્યા ધામ ખાતે ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે અમે સાયકલીંગ કરી ત્યાં પહોચીએ અને શ્રી રામજી ભગવાનના દર્શન પ્રાપ્ત કરીએ તેવી અમારી ઈચ્છા છે.
સતત ૧૧ દિવસ સાયકલીંગ કરી અયોધ્યા ધામ પહોચશે
ભાવનગરના બંન્ને સાયકલ વિરો ભાવનગરથી ઉજ્જૈન, ગુના, શિવપુરી, ઝાંસી, કાનપુર, અને લખનૌઉ થઈ અયોધ્યા ધામ પહોચશે. ૧૧ દિવસના પ્રવાસમાં લગભગ ૧૫૦૦ કિ.મી. સાયકલીંગ કરશે.