રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી દેશમાં દીપોત્સવની શરૂ થઈ છે. અયોધ્યા, હનુમાનગઢીમાં દિવા પ્રગટાવવામાં આવ્યા છે. આ શુભ અવસરે દેશના ખૂણે-ખૂણે રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે. કનોટ પ્લેસના મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે 1,25,000 રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે. સાંજ પડતાં જ એક સાથે હજારો દીવાઓથી દેશ ઝળહળી ઉઠ્યો છે.
શુભ અવસરે PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું-‘અયોધ્યા ધામમાં આજે રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આ પાવન અવસરે દેશવાસીઓને મારો આગ્રહ છે કે રામજ્યોતિ પ્રગટાવીને પોતાના ઘરોમાં તેમનું સ્વાગત કરો. જયસિયારામ’