Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમનું 35 મિનિટનું ભાષણ રામ-રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું

પીએમએ તેમના 11 દિવસના ઉપવાસ તોડ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 13:31:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભગવાન રામલલ્લાની 22 જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. RSSના વડા મોહન ભાગવત, પીએમ મોદી સહિત છ મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી. મોદી, મુખ્ય યજમાન તરીકે, આછા પીળા રંગની ધોતી અને કુર્તા પહેરીને 12 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમના હાથમાં એક થાળી હતી, જેમાં શ્રીરામલલાનું ચાંદીનું છત્ર હતું. પ્રાણપ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.05 કલાકે શરૂ થઈ હતી, જે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. વડાપ્રધાને ભગવાનની આરતી કરી. મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના ચરણ સ્પર્શ કર્યા. આ પછી તેમણે શ્રીરામલલ્લાની પરિક્રમા કરી અને પ્રણામ કર્યા. તેમણે રામજન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. પીએમએ તેમના 11 દિવસના ઉપવાસ પણ તોડ્યા.
પીએમએ લોકોને સંબોધિત કર્યા. પીએમનું 35 મિનિટનું ભાષણ રામ-રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું. તેમણે દેશવાસીઓને અભિનંદન આપતાં કહ્યું – કંઈક એવું ખૂટતું હતું કે મંદિર બનાવવામાં સદીઓ લાગી. આ રામમંદિર ભારતના ઉદયનું સાક્ષી બનશે. પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી હતી. ગત સપ્તાહે જ રામમંદિરમાં 51 ઇંચની નવી મૂર્તિ મૂકવામાં આવી હતી. અંતમાં પીએમએ રામલલ્લાના ચરણોમાં પ્રણામ કર્યા. આ પછી મોદીએ અહીં 11 દિવસના ધાર્મિક ઉપવાસ તોડ્યા. નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી આપ્યું. માત્ર ત્રણ દિવસના ઉપવાસથી જગ્યાએ 11 દિવસ સુધીની કઠોર સાધના પીએમ મોદીએ કરી હતી. જ્યારે આ વ્રતનો ઉલ્લેખ નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરીએ જાહેરમાં કર્યો તો પીએમ પણ ભાવુક થઈ ગયા. ત્યારબાદ મોદી કુબેર ટીલા ગયા હતા. અહીં ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેઓ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકોને મળ્યા અને તેમના પર ફૂલોની વર્ષા કરી. તેમજ જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ સાંજે અયોધ્યાથી રવાના થઈ ગયા છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવેલી હસ્તીઓ હવે રામલલાના દર્શન કરવા લાગી હતી.

Advertisement

મોદી અને મોહન ભાગવતને ચાંદીના રામમંદિરની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ

વડાપ્રધાન મોદી અને મોહન ભાગવતને ચાંદીના રામમંદિરની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ. રામ મંદિરની આ પ્રતિકૃતિ સુરતના જ્વેલર્સે બનાવી છે. ચાંદીના રામ મંદિરનું વજન 3 કિલો જેટલું છે અને તેને બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. આ તરફ સુરતના એક બિઝનેસમેને 11 કરોડની કિંમતનો શિરમુગટ રામ મંદિરને ભેટમાં આપ્યો છે. આ મુગટ 6 કિલો જેટલું વજન ધરાવે છે. સોનાથી મઢેલા મુગટને રામલલ્લાના મસ્તક પર શોભાયમાન થયો છે.

Tags: ayodhyamodipravach ram mandir
Previous Post

ચીનમાં 7.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Next Post

39 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
39 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા

39 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા

શ્રદ્ધાળુઓ માટે આજથી ખોલવામાં રામ મંદિરના કપાટ

શ્રદ્ધાળુઓ માટે આજથી ખોલવામાં રામ મંદિરના કપાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.