દેશમાં 78 ટકા સિનીયર સીટીઝન્સ પાસે પેન્શનનો સહારો નથી.નીતિ આયોગે જણાવ્યું છે કે રિટાયરમેન્ટ બાદ બુઝુર્ગોની આર્થિક સ્થિતિ ખરાબ થવાનો ખતરો છે. એટલે સરકારે બુઝુર્ગો માટે અનિવાર્ય બચત યોજના કર સુધારા અને હાઉસીંગના મોરચા પર પગલા લેવા જોઈએ. 18 ટકા લોકો પાસે હેલ્થ ઈુસ્યોરન્સ છે.માસિક ખર્ચનો 13 ટકા ભાગ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નો છે.
નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અસંગઠિત ક્ષેત્રનાં બુઝુર્ગોને પણ પેન્શન સપોર્ટ આપવો જોઈએ. મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફાર પણ જરૂરી છે. વડાપ્રધાન જન આરોગ્ય યોજનાના વિસ્તારમાં પુરી વૃદ્ધોની વસતીને સામેલ કરી લેવી જોઈએ. કવરેજ અનેક નોન-મેડીકલ ચીજો સુધી વધારીને પણ હેલ્થ સાથે જોડાયેલી જરૂરીયાતોને પણ એમાં સામેલ કરી લેવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોટાભાગનાં વડીલો પોતાની બચતથી થનારી આવક પર નિર્ભર હોય છે. પણ વ્યાજ દરોમાં ચડાવ-ઉતારથી તેમની આવકને અસર થાય છે. કયારેક કયારેક તેમને ભરણ-પોષણ કરવામાં પણ ઘટ આવતી હોય છે. એટલે એક રેગ્યુલેટરી મિકેનિઝમની જરૂરત છે. જેથી બુઝુર્ગોની જમા રકમ પર વ્યાજ દરની એક તર્કસંગત નીચલી સીમા નકકી થઈ શકે. રિવર્સ મોર્ગેજનાં નિયમોમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. જે અંતર્ગત બુઝુર્ગ પોતાની પ્રોપર્ટીમાં રહીને પણ તેના પર લોન લઈ શકે અને એક નિશ્ર્ચિત મંથલી ઈન્કમ હાંસલ કરી શકે. સિનિયર સિટીઝન્સની સાર સંભાઈ સાથે જોડાયેલી પ્રોડકટસ પર લાગનારા ટેકસમાં ફેરફારની જરૂરીયાત છે. જેથી તેમને અપનાવવામાં સરળતા રહે અને બુઝુર્ગોને નાણાંકીય બોજ પણ ન પડે.