Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીએસપીના 10 સાંસદ પાર્ટી છોડવાની તૈયારીમાં !

લોકસભા ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 12:19:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા માયાવતીની પાર્ટી BSPના 10 સાંસદ પાર્ટી છોડી શકે છે. સૂત્રો અનુસાર, આ 10માંથી 4 સાંસદ ભાજપના સંપર્કમાં છે જ્યારે 3 સાંસદ કોંગ્રેસ અને ત્રણ સાંસદ સમાજવાદી પાર્ટીના સંપર્કમાં છે. જો અમરોહાના બીએસપી સાંસદ દાનિશ અલીની વાત કરીએ તો તેમણે રાહુલ ગાંધીનો સાથ મળી ચુક્યો છે અને અમરોહાથી કોંગ્રેસ તેમણે ટિકિટ પણ આપવા જઇ રહી છે. બિજનૌરના બીએસપી સાંસદ મલૂક નાગરની વાત કરીએ તો તે ભાજપના સંપર્કમાં છે જ્યારે લાલગંજના સાંસદ સંગીતા આઝાદ પણ ભાજપના સંપર્કમાં છે. અફઝલ અંસારીને ગાજીપુરથી સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે, શ્રાવસ્તીના બસપા સાંસદ રામ શિરોમણી વર્મા ભાજપના મોટા નેતાઓને મળી ચુક્યા છે.
BSPના તમામ સાંસદોને આશા હતી કે અંતિમ ક્ષણમાં બસપા INDIA ગઠબંધનનો ભાગ બનશે પરંતુ માયાવતીના બે દિવસ પહેલા આવેલા નિવેદન બાદ તમામ સાંસદ પોત પોતાના ભવિષ્યને આગળ વધારવામાં લાગી ગયા છે. આંબેડકરનગરના બીએસપી સાંસદ રિતેશ પાંડેય પણ ભાજપમાં જઇ શકે છે. ઘોષીના બીએસપી સાંસદ અતુલ રાય ભાજપમાં જોડાઇ શકે છે. જોનપુરના બીએસપી સાંસદ શ્યામસિંહ યાદવ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સંપર્કમાં છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગત મહિને બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. BSP પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે કોઇ પાર્ટી સાથે ગઠબંધન કરવાથી તેમણે નુકસાન થાય છે, માટે તેમણે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. માયાવતીએ કહ્યું હતું કે આપણે ઉત્તર પ્રદેશમાં એકલા દમ પર ચૂંટણી લડી સરકાર બનાવી છે, આ અનુભવના આધાર પર અમે લોકસભા ચૂંટણી પણ એકલા જ લડીશું. અમે કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. અમારી પાર્ટી ગઠબંધન ના કરીને એટલા માટે ચૂંટણી લડે છે કારણ કે પાર્ટીનું નેતૃત્વ એક દલિતના હાથમાં છે. ગઠબંધન કરવા પર BSPનો મત વિપક્ષી દળને મળે છે પરંતુ બીજાના વોટ અમને મળતા નથી. 90ના દાયકામાં ગઠબંધનમાં સપા અને કોંગ્રેસને ફાયદો મળ્યો હતો.

Tags: 10 MP will leave BSPmayavatiup
Previous Post

સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ પર EDનો સકંજો, 6 જગ્યાએ દરોડા

Next Post

વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું : 9 ખલાસીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું : 9 ખલાસીની ધરપકડ

વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું : 9 ખલાસીની ધરપકડ

‘મહાદેવના આશીર્વાદથી કાશીમાં ચારેબાજુ વિકાસનો ડમરુ વાગે છે : PM મોદી

‘મહાદેવના આશીર્વાદથી કાશીમાં ચારેબાજુ વિકાસનો ડમરુ વાગે છે : PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.