બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચને દિવાળી પહેલાં પોતાના પગની નસ કપાઈ જવાની જાણકારી આપી હતી. તેમણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે તેના પગની નસ કપાઈ ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હોય હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેમના પગમાં ટાંકા લીધા હતા.
આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ દ્વારા માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું – ધાતુના ટુકડાને કારણે મારા પગની નસ કપાઈ ગઈ હતી. નસ કાપતાં જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી હું સમયસર સાજો થઈ શક્યો હતો. મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.