રાષ્ટ્રપતિ ભવનમાં આજે 5 મહાન વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપી ઉત્કૃષ્ટ કાર્ય અને રાષ્ટ્ર પ્રત્યે અસાધારણ યોગદાન બદલ દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપવામાં આવશે. 5 મહાન વિભૂતિઓ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિંમહરાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર, વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી સન્માન કરાશે. 4 વિભૂતિઓને મરણોપરાંત ભારતરત્ન અપાશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને આવતીકાલે (31 માર્ચ) ભારતરત્ન આપી સન્માન કરાશે.