દારૂ નીતિ કેસમાં 21 માર્ચથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સંબંધિત બે કેસમાં સોમવારે (1 એપ્રિલ) બે અલગ-અલગ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
પહેલો કેસ દિલ્હી હાઈકોર્ટમાં છે. જેમાં સુરજીત સિંહ યાદવે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરીને જેલમાંથી સરકારી આદેશો આપવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે આ કેસની સુનાવણી કરતાં અરજી ફગાવી દીધી હતી. બીજી બાબત કેજરીવાલના રિમાન્ડની છે. તેમના ED રિમાન્ડ 1 એપ્રિલના રોજ પૂરા થઈ રહ્યા છે. EDએ આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટની બહાર કેજરીવાલે મીડિયાને કહ્યું- તેઓ જે કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં હાજર છે.