Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આદિવાસી ક્ષેત્રોમાં ‘નોટા’નો મહતમ ઉપયોગ: આ વખતે આવુ નહીં થાય ને ?

2019માં છોટા ઉદેપુર, દાહોદ, બારડોલીમાં નોટામાં સૌથી વધુ મત મળ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-04 16:32:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજયમાં 2019ની લોકસભાની 26 બેઠકો માટે 64.51 ટકા જેટલું ઉંચુ ઐતિહાસિક મતદાન થયું હતું. તે પુર્વે 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ 63.66 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. 2024ની ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી ઉંચી રહે તેવી આશા રાજકીય પક્ષ રાખી રહ્યા છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા પણ મહતમ મતદાન માટે અનેક રીતે પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં નારાજ મતદારો કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટા (નન ઓફ ધ એબોવ)નો વિકલ્પ પસંદ કરતા હોય છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 4,09,932 જેટલા મત નોટામાં નોંધાયા હતા. જો કે આ વખતે હાલનો રાજકીય માહોલ શરૂઆતથી જ કેટલીક બેઠકોમાં ચુંટણીની ટિકીટની વહેંચણીથી લઈ સામાજીક મુદાઓ મામલે આક્રોશના કારણે વિવાદાસ્પદ બન્યો છે. કેટલાક વિસ્તારમાં સુવિધાઓ કે અન્ય કારણથી નારાજ નાગરિકો દ્વારા મતદાનના બહિષ્કારની વિગતો બહાર આવી રહી છે તે જોતા ચુંટણી પંચે ભારે પ્રયાસ કરવા પડશે તે નિશ્ચિત છે. તેના કારણે કોઈ પણ ઉમેદવારને મત નહીં આપવા માંગતા નારાજ મતદારો પાસે નોટાનો પણ વિકલ્પ છે તેનો મોટાપાયે ઉપયોગ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
આદિવાસી બેઠકો ઉપર નોટાનો સૌથી વધુ ઉપયોગ થયો છે. 2019માં નોટામાં સૌથી વધુ વોટ છોટાઉદેપુરમાં પડયા હતા તે પછી દાહોદ, બારડોલી અને પંચમહાલ બેઠકોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે આદિવાસી વિસ્તારોમાં મતદારોને લાયક ઉમેદવારો હોતા નથી કે પછી મતદારોની અપેક્ષા મુજબ તેમના વિસ્તારમાં કામ ન થતા આદિવાસી મતદારો આ રીતે તેમનો રોષ કોઈને પણ મતદાન નહીં કરીને વ્યક્ત કરે છે. નોટામાં સૌથી ઓછા મત 6103 સાબરકાંઠા બેઠક પર પડયા હતા. ચુંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોના મોવડીઓ અને ઉમેદવારો દ્વારા મતદારોને મહતમ મતદાન માટે પ્રયાસ કરવા પડશે અન્યથા આ વખતે નોટાને વધુ મત મળે તેવી સંભાવના છે.

Tags: gujaratNOTAtribal area
Previous Post

સ્વરોજગારી મેળવતા પતિની આવકનું મૂલ્યાંકન મુશ્કેલ : ભરણપોષણના કેસમાં મહત્વનો ચુકાદો

Next Post

ભાવનગર નજીક વરતેજ – સિદસર રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ
તાજા સમાચાર

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

July 10, 2025
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

July 10, 2025
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાજા સમાચાર

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા

July 10, 2025
Next Post
ભાવનગર નજીક વરતેજ – સિદસર રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી

ભાવનગર નજીક વરતેજ - સિદસર રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી

મૃત્યુનોંધ 04-04-24

મૃત્યુનોંધ 04-04-24

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.