આતંકવાદીઓએ સોમવારે રાત્રે શ્રીનગરના શોપિયામાં એક ડ્રાઈવરને ગોળી મારવામાં આવી હતીં. મળતી જાણકારી પ્રમાણે ઘાયલ ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી સુરક્ષા દળોની ટીમ ઘાયલ ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોક્ટરોએ ઘાયલોને સારી સારવાર માટે શ્રીનગર રિફર કર્યા હતા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી જાણકારી પ્રમાણે દિલ્હીના રહેવાશી પરમજિત સિંહ ટ્રક ડ્રાઈવર છે. તેઓ ગાડી લઈને શોપિયા વિસ્તારમાં આવેલા હતાં. સોમવારે મોટી રાત્રે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ તેમની નિશાનો બનાવીને ફાયરિંગ કર્યુ હતું. વિગતે પ્રમાણે આતંકવાદીઓએ તેને ખુબ જ નજીકથી ગોળી મારી છે. જેમાં પરમજીતને ઈજા થઈ હતી. ગોળીનો અવાજ સાંભળીને લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી સુરક્ષાદળો અત્યારે આગળની તપાસ હાથ કરીને આ વિસ્તારને ઘેરી લીધો છે. નોંધનીય છે કે, ફરી એકવાર આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે.