રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાનાં વિરોધ વચ્ચે રાજકોટનાં રાજવી માંધાતાસિંહે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે.
રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ. પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને પણ માંધાતાસિંહે પ્રતિક્રિયા આપી હતી કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુઃખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.