ચિરાગ પાસવાને હાજીપુરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ, તેમણે અનવરપુર ચોક ખાતે બંધારણના ઘડવૈયા બાબા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ લોકોએ મૂર્તિને દૂધથી ધોઈ હતી. ગુરુવારે સાંજે 51 લિટર દૂધથી ધોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભીમ આર્મી સંઘના નેતા રણધીર કુમાર અને અનવરપુર ચોક નિવાસી છોટે પાસવાન સાથે કેટલાક યુવાનો પ્રતિમા ધોવામાં વ્યસ્ત હતા. આ લોકોએ જણાવ્યું કે ચિરાગે પ્રતિમાને સ્પર્શ કર્યો હતો. તેમનો આરોપ છે કે ચિરાગ દલિત વિરોધી છે.
આ દરમિયાન બાબા સાહેબ અમર રહો, . ચિરાગ પાસવાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા સ્થાનિક પાસવાન જાતિના લોકોએ જણાવ્યું કે જ્યારે ચિરાગ પાસવાન નામાંકન દરમિયાન રોડ શોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સ્પર્શ કર્યો હતો. જેના કારણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા અસ્પૃશ્ય બની ગઈ હતી. અમે બાબા સાહેબ ભીમરાવની પ્રતિમાને 51 લિટર દૂધથી ધોઈને શુદ્ધ કરી.
આંબેડકરની પ્રતિમાને ધોતા લોકોએ કહ્યું કે અનામત વિરોધી ચિરાગ પાસવાને આંબેડકરની પ્રતિમાને સ્પર્શ કર્યો છે. જે બાદ અમે શુદ્ધિકરણનું કામ કર્યું છે. અને મૂર્તિને દૂધથી ધોવામાં આવી છે. સમુદાયના લોકોએ કહ્યું કે અમે ચિરાગ પાસવાનનો વિરોધ કરી રહ્યા છીએ. અને ચિરાગને મત ન આપવા અપીલ કરી રહ્યા છે.