કન્યાકુમારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 45 કલાકનું મેડિટેશન શરૂ થઈ ચુક્યું છે. વડાપ્રધાન એ જ જગ્યાએ ધ્યાનમાં બેઠા છે જ્યાં સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. વડાપ્રધાન મોદીનું મેડિટેશન એક જૂન સુધી ચાલશે.
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ‘ધ્યાન સાધના’ ચાલુ છે. પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. PM મોદી એ જ શીલા પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. 45 કલાકના મેડિટેશન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે. માહિતી અનુસાર, આ દરમિયાન પીએમ મોદી મૌન વ્રત પણ રાખશે અને ધ્યાન કક્ષમાંથી બહાર નહીં આવે.
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત રહેશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.