Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઇ સિરિયલ બ્લાસ્ટના દોષી મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને જેલમાં હત્યા

બાથરૂમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ 5 કેદીઓએ ગટરના ઢાંકણાથી હત્યા કરી દીધી

dharmendravaghela by dharmendravaghela
2024-06-03 11:30:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને જેલમાં કેદીઓએ એટલો બધો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. વિગતો મુજબ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક દોષિતને કોલ્હાપુરની કલમ્બા જેલમાં માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 59 વર્ષીય મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને પાંચ કેદીઓએ એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. પોલીસે આ માહિતી આપી હતી. મુન્નાએ પોતાનું નામ મનોજ કુમાર ભવરલાલ ગુપ્તા પણ રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે, કેદીઓએ તેના પર કોંક્રીટની બનેલી ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણ વડે હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.
જેલ ડીઆઈજી સ્વાતિ સાઠેએ જણાવ્યું હતું કે, 59 વર્ષીય મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન પર બાથરૂમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ખાન હુમલાનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. ખાન મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન માથાકૂટ વચ્ચે કેટલાક અન્ડરટ્રાયલ કેદીઓએ ગટરની ઉપરથી લોખંડની જાળી ઉપાડી અને તેનાથી ખાનને માથા પર માર્યો જેના પછી તે જમીન પર પડ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હુમલાખોરોની ઓળખ પ્રતિક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોટ, સંદીપ શંકર ચવ્હાણ, ઋતુરાજ વિનાયક ઇનામદાર અને સૌરભ વિકાસ તરીકે કરવામાં આવી છે. કોલ્હાપુર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 1000થી વધુ ઘાયલ થયા હતા.

Tags: mahamad ali khan murder in jailMaharashtramumbai 93 bomb blast aaropi
Previous Post

માલદીવ મુઈજ્જુ સરકારે ઈઝરાયેલના પાસપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ

Next Post

ભાવ વધારામાં દહીં પણ બાકી નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવ વધારામાં દહીં પણ બાકી નહીં

ભાવ વધારામાં દહીં પણ બાકી નહીં

મતગણતરી પહેલા આજે ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ

મતગણતરી પહેલા આજે ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.