વૈષ્ણોદેવી દર્શને જતી બસ પર આતંકવાદી હુમલાને લઈ કેન્દ્રીય પ્રધાન અમિતભાઈ શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે. સોશિયલ મીડિયા એક્સ પર અમિત શાહે આતંકી હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમને આગળ જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જવાબદારને કાયદાનો માર સહન કરવાનો વારો આવશે
રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાનર મોદી સરકાર અને તેઓના મંત્રી મંડળનો શપથ સમારોહ ચાલી રહ્યો હતો આ દરમિયાન દેશના ઉત્તર ભાગ એવા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ વૈષ્ણોદેવી દર્શને જઈ રહી હતી તે સમયે આતંકીઓએ ડ્રાયવર પર હુમલો કર્યો હતો જેથી બસ ખીણમાં જઈ ખાબકી.જેથી આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 33 ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.