ચંદીગઢના એલાંતે મોલમાં ટોય ટ્રેન પલટી જતા તેમાં બેઠેલો 11 વર્ષનો બાળક જમીન પર પટકાયો હતો. જે બાદ બાળકને સેક્ટર-32ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક બાળકની ઓળખ શાહબાઝ (11) તરીકે થઈ છે, જે નવાશહરનો રહેવાસી હતો. પોલીસે ટોય ટ્રેન જપ્ત કરી લીધી છે.
આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળક બારીમાંથી બહાર હોવાનું દેખાઈ રહ્યું છે. ટ્રેન વળવા લાગી કે તરત જ પાછળનો ડબ્બો પલટી ગયો હતો. આ પછી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે ખસેડ્યો હતો. DSP રામ ગોપાલે જણાવ્યું હતું કે જતિન્દર પાલની ફરિયાદ પર ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશને ટોય ટ્રેનના સંચાલક બાપુ ધામ નિવાસી સૌરભ અને કંપનીના માલિકો વિરુદ્ધ દોષિત હત્યા અને બેદરકારીનો કેસ નોંધ્યો છે. એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપ્યો છે.