Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હિન્દુ સમાજમાં રોષ

અમદાવાદ-સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા અરજી

dharmendravaghela by dharmendravaghela
2024-07-02 11:32:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાય છે. ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ-સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે.
અમદાવાદમાં અરજદારે વસ્ત્રાપુર પોલીસ મથકે સાંસદ રાહુલ ગાંધીના ભાષણથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાની અરજી કરી હતી. નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ-299 મુજબ રાહુલ ગાંધી સામે ગુનો દાખલા કરવા અરજી કરવામાં આવી હતી. આ અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ અરજીની નકલ પોલીસ કમિશનર અને DGPને પણ મોકલાઈ હતી. જોકે, આગામી સમયમાં કોર્ટમાં માનહાનિ થઈ શકે છે.
સુરતના સમાજસેવક ધર્મેશ ગામીએ જણાવ્યું કે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં તારીખ 1.7.2024ના રોજ 2:30 વાગ્યે પોતાનું વક્તવ્ય આપવા માટે સંસદ સભામાં ઉપસ્થિત હતા. તે દરમિયાન વક્તવ્યમાં જે લોકો પોતાને હિંદુ માને છે તે 24 કલાક હિંસા… હિંસા… હિંસા… નફરત… નફરત… નફરત… અસત્ય… અસત્ય… અસત્ય… એવી બાબતોનું ઉચ્ચારણ લોકસભામાં લાઈવ પ્રસારણમાં કર્યું હતું, જે અયોગ્ય છે. કારણ કે, જન્મના દાખલા હોય તેમાં પણ જાતિ અને ધર્મનો ઉલ્લેખ દરેક લોકો કરતા માટે આવા શબ્દોનું ઉચ્ચારણ ઉચ્ચ હોદા પર બેઠેલા કોઈપણ વ્યક્તિ ન કરી શકે. કોઈની લાગણી આહત તેવું કૃત્ય ન કરી શકે એવું માનનીય સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે. આવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા લોકોએ આગળ આવવું જોઈએ એવી વાતો પણ કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, મારી લાગણી દુભાઈ છે હું હિન્દુ ચોક્કસ છું પણ નથી હિંસક કે નથી અસત્ય માનનારો. બહુ સંકેત લોકો આ દેશમાં હિન્દુ તરીકે છે અને ભારતીય બંધારણમાં કાયદાથી ઉપરવટ કોઈ જ નથી. માટે આ બાબતે બંધારણની જોગવાઈ મુજબ જે પણ સજા થતી હોય તે ચોક્કસ થવી જોઈએ એવી મારી લાગણી છે.

કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડીરાત્રે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે છાંટી બેનરો ફાડ્યા

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઇ છે. ગત મોડીરાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી ધમાલ કરી હતી. અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યા હતા.
કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડીરાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા. ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે, હું હાલમાં અંબાજી માતાજી મંદિર મલાવ તળાવ મંદિરે આરતી, પૂજા પતાવી બહાર નીકળ્યો ત્યારે મીડિયાના માધ્યમથી બજરંગ દળના ગુંડાઓના કાયરતા પૂર્ણ હુમલાની ખબર પડી છે. બરાબર નવ વાગ્યે કોંગ્રેસ ઓફિસે હું પહોંચું છું અને આ કહેવાતા નકલી હિન્દુઓને ચેલેન્જ આપું છું કે, રાતના અંધારામાં આ પ્રકારના કાયરતા પૂર્ણ હુમલા કરો છો. આવો હું કોંગ્રેસ ઓફિસ પર ઉપલબ્ધ છું. અમારી પાસે પણ હથિયાર છે, સત્ય અને અહિંસાના.

Tags: delhipraliament speechRahul Gandhi
Previous Post

સૌરાષ્ટ્રમાં સર્વત્ર શ્રીકાર વર્ષા : દક્ષિણમાં જામ્યો મેઘો

Next Post

મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી : 17 કે 18 જુલાઇએ શપથવિધી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી : 17 કે 18 જુલાઇએ શપથવિધી

મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી : 17 કે 18 જુલાઇએ શપથવિધી

શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

બજેટ પહેલાં જ શેરબજારમાં બલ્લે-બલ્લે : સેન્સેક્સ 79,855 હજારને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.