જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનશે. સીએમ ચંપાઈ સોરેન બુધવારે સાંજે 7.20 વાગ્યે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજીનામા બાદ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ચંપાઈ માત્ર 152 દિવસ ઝારખંડના સીએમ રહ્યા. તેઓ 2 ફેબ્રુઆરી 2024ના રોજ સીએમ બન્યા હતા.
ચંપાઈ સોરેને કહ્યું કે મેં ગઠબંધનના નિર્ણય પ્રમાણે કામ કર્યું. હેમંત સોરેને કહ્યું કે ચંપાજીએ તેમની વાત કહી છે. આ ગઠબંધનનો નિર્ણય છે. આ દરમિયાન, તેમણે મહાગઠબંધન વિધાનમંડળ પક્ષના ધારાસભ્યો તરફથી સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો. હવે રાજ્યપાલ કોઈપણ સમયે હેમંત સોરેનને શપથગ્રહણ માટે આમંત્રિત કરી શકે છે. આ પહેલા રાંચીના સીએમ હાઉસમાં વિધાયક દળની બેઠક યોજાઈ હતી. જેમાં હેમંત સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યોને સીએમ હાઉસમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.