પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં શબ્દલપુરા વચ્ચે ખારિયાપુલ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.