એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે.માહિતી અનુસાર, જાન બપોરે 3 વાગ્યે મુંબઈના BKC સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર ખાતેઆવશે. સૌ પ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે. આ પછી ‘મિલન’ સમારોહ થશે.’મિલની’ સમારોહ બાદ રાત્રે 8 વાગ્યે વરમાળા થશે. લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે.
લગ્ન હિંદુ વૈદિક વિધિથી કરવામાં આવશે. 12 જુલાઈએ લગ્ન છે. શનિવાર, 13 જુલાઈએ શુભ આશીર્વાદ તથા 14 જુલાઈ રવિવારે મંગલ ઉત્સવ એટલે કે ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. 15 જુલાઈએ રિલાયન્સના કર્મચારીઓ માટે સ્પેશિયલ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન, આંતરરાષ્ટ્રીય મોડલ કિમ કાર્દાશિયન અને સેમસંગના સીઇઓ હેન જોંગ-હી લગ્નમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. આ સિવાય ગુરુવારે બપોરે બંગાળના સીએમ મમતા બેનર્જી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે મુંબઈ પહોંચ્યા હતા.
PM મોદી સહિત દેશના ટોચના રાજનેતાઓ 13 જુલાઈના રોજ શુભ સમારોહમાં હાજરી આપી શકે છે. આ ઉપરાંત બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓ પણ આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા પરિવારો જેમ કે બચ્ચન, કપૂર અને ખાન પણ ભાગ લેશે. આ સમારોહમાં માત્ર VVIP મહેમાનો જ પહોંચશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે. સામાન્ય લોકોને 15 જુલાઇના રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.