Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપે ચૂંટણી લડ્યા વિના 70 ટકા પંચાયત બેઠકો જીતી

ત્રિપુરામાં 8 ઓગસ્ટે છે મતદાન : પંચાયત સમિતિઓની 423 બેઠકોમાંથી ભાજપે 235 બેઠક બિન હરિફ કબજે કરી

dharmendravaghela by dharmendravaghela
2024-07-24 11:37:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે. તેમાંથી ભાજપે કુલ 4805 બેઠકો તો બિનહરીફ જ જીતી લીધી છે. હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે.
ત્રિપુરામાં રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું હતું કે ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બિનહરીફ જીતી છે. જેના કારણે હવે 71 ટકા બેઠકો પર મતદાન નહીં યોજાય. હવે જે 1,819 ગ્રામ પંચાયત બેઠકો પર મતદાન થશે ત્યાં ભાજપે 1,809 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે CPI(M) એ 1,222 બેઠકો પર અને કોંગ્રેસે 731 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના સહયોગી ટીપ્રા મોથાએ 138 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
અસિત કુમારે કહ્યું કે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં મહેશખલા પંચાયતની એક બેઠક માટે ચૂંટણી હાલ નહીં યોજાય. આ બેઠક પર ભાજપના ઉમેદવારનું નિધન થઇ ગયું છે. દાસે કહ્યું, પંચાયત સમિતિઓમાં ભાજપે કુલ 423 બેઠકોમાંથી 235 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જે કુલ બેઠકોના 55 ટકા થાય છે. હવે 188 બેઠકો માટે મતદાન થશે. જ્યારે ભાજપે 116 જિલ્લા પરિષદ બેઠકોમાંથી 20 બિનહરીફ જીતી છે, જે કુલ બેઠકોના લગભગ 17 ટકા થાય છે. નોંધનીય છે કે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 જુલાઈ હતી જ્યારે 8 ઓગસ્ટે મતદાન થવાનું છે. મતગણતરી 12 ઓગસ્ટે થશે. છેલ્લી ચૂંટણીઓમાં, ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત વ્યવસ્થામાં 96 ટકા બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી.

Tags: bjp win panchayatTripura
Previous Post

બજેટ 2024: સમગ્ર બજેટનો 51 પોઈન્ટમાં સારાંશ

Next Post

અમદાવાદમાં આજે 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
અમદાવાદમાં આજે 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર

અમદાવાદમાં આજે 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર

પાકિસ્તાનની નાગરિકના પરિવારને આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાં આવતા ચકચાર

પાકિસ્તાનની નાગરિકના પરિવારને આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાં આવતા ચકચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.