મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 વર્ષની પુત્રી અને એક પોલીસ અધિકારી સહિત નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહાડીના ઉપરના વિસ્તારોમાંથી કોટરુક અને કડાંગબંદ ઘાટીના નીચલા વિસ્તારો તરફ ગોળીબાર કર્યો અને ડ્રોનથી પણ હુમલો કર્યો. આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો સલામત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘાયલ થયેલા 9 લોકોમાંથી 5ને ગોળી વાગી હતી, જ્યારે બાકીના લોકોને બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે હુમલામાં ડ્રોન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજેપીના પ્રવક્તા ટી માઈકલ એલ હોકીપના ઘરને પેનિયલમાં આગ લગાડવામાં આવી હતી. એક્સ પર વિડિયો શેર કરતી વખતે હાઓકિપે આરોપ લગાવ્યો છે કે આ કુકી લોકોનું કામ છે. હાઓકિપે કહ્યું કે એક વર્ષમાં ત્રીજી વખત તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો. ગયા અઠવાડિયે પણ 30થી વધુ સશસ્ત્ર લોકોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
કુકી-જો સમુદાયના લોકોએ 31 ઓગસ્ટના રોજ મણિપુરના ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલમાં રેલીઓ કાઢી હતી. આ સંગઠનોની માગ છે કે મણિપુરમાં એક અલગ કુકિલેન્ડ બનાવવામાં આવે, જે એક કેન્દ્રશાસિત પ્રદેશ હોવો જોઈએ. આ સંગઠનોનું કહેવું છે કે પુડુચેરીની તર્જ પર વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો એ જ રાજ્યને જાતિ સંઘર્ષમાંથી બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો છે.