Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશે ISKCONના 17 સભ્યોના બેંક ખાતા કર્યા ફ્રીઝ

જે પણ નાણાકીય લેવડદેવડ થઇ હોય તેની સંપૂર્ણ માહિતી ત્રણ દિવસમાં સોંપવા બેંકોને આદેશ

dharmendravaghela by dharmendravaghela
2024-11-30 12:19:01
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દૂર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા. હવે હિન્દુઓના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને બાંગ્લાદેશમાં સ્થિત ISKCON સાથે જોડાયેલા 17 બેંક ખાતાને ફ્રીઝ કરી દીધા હતા. બાંગ્લાદેશની હાઇકોર્ટે ISKCON પર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવ્યા બાદ સરકાર દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું છે. જેનો હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે એક મહિના માટે ISKCON સાથે જોડાયેલા 17 જેટલા બેંક ખાતાને ફ્રીઝ કરવાનો વિવિધ બેંકોને આદેશ આપ્યો હતો. આ યુનિટ બાંગ્લાદેશની મુખ્ય બેંક સાથે જોડાયેલુ છે. ખાતા ફ્રીઝ કરવા ઉપરાંત તેમાં જે પણ નાણાકીય લેવડદેવડ થઇ હોય તેની સંપૂર્ણ માહિતી ત્રણ દિવસમાં સોંપવા બેંકોને આદેશ આપ્યો હતો. 30 ઓક્ટોબરના રોજ ISKCONના સભ્ય રહી ચુકેલા ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 સામે સેડિશનનો કેસ દાખલ કરાયો હતો જે બાદ દાસની ધરપકડ કરાઇ હતી. આ કાર્યવાહીનો ISKCON દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ટિકા કરી હતી અને બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુઓની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા કહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઢાકામાં સ્થિત ભારતીય હાઇ કમિશન હિન્દુઓ સહિતના લઘુમતિઓ પર અત્યાચારોની સ્થિતિને જોઇ રહ્યું છે, ભારતે અવાર નવાર બાંગ્લાદેશ સરકારને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા કહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોલકાતામાં એક તરફ મુસ્લિમોએ વકફ બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે બીજી તરફ હિન્દુઓએ બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો.

Tags: Bangladeshiskcon bank account freeze
Previous Post

સુરત : આઈસક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના શંકાસ્પદ મોત

Next Post

ભાવનગરમાં સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

પાલીતાણાના તળાજા રોડ પર આયશરમાં ભરેલા કડબના જથ્થામાં આગ

પાલીતાણાના તળાજા રોડ પર આયશરમાં ભરેલા કડબના જથ્થામાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.