તેલંગાણાના મુલુગુ જિલ્લામાં બુધવારે સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 7.27 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હૈદરાબાદમાં પણ આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી.
મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. આ જોરદાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલમાં સામે આવી નથી. સત્તાવાળાઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે, જ્યારે નિષ્ણાતોએ સ્થાનિકોને ભૂકંપ દરમિયાન સતર્ક રહેવા અને ગીચ અથવા અસુરક્ષિત ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપી છે.