દિલ્હીના શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફરી એક વખત દિલ્હી કૂચની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે અમે 14 ડિસેમ્બરથી દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂર્ણ થઇ ચુક્યા છે અને ખેડૂતોના ઉપવાસ પણ 15 દિવસે પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે. સરકાર તરફથી કોઇએ અમારો સંપર્ક કર્યો નથી.
ખેડૂત નેતાએ કહ્યું કે બન્ને સંગઠનોએ નક્કી કર્યું કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોનો જથ્થો મોકલીશું. બુધવારે અમે ખેડૂત આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે તે ખેડૂતોને છોડવાની માંગ કરીએ છીએ જેમને વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કે અટકાયતમાં લેવામાં આવી છે. હું પોતાના ફિલ્મી સ્ટાર, ગાયક અને ધાર્મિક નેતાઓને પણ અનુરોધ કરવા માંગુ છું કે કૃપયા પ્રદર્શન કરતા અમારા વિરોધનો પ્રચાર કરે.
આ પહેલા સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન મજદૂર મોર્ચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જથ્થાએ 6 અને 8 ડિસેમ્બરે દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હરિયાણાના સુરક્ષાકર્મીઓએ તેમને આગળ વધવા દીધા નહતા. આ દરમિયાન ખેડૂત અને સુરક્ષાદળો વચ્ચે ટકરાવ જેવી સ્થિતિ બની હતી જે બાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટિયર ગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.