Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ

બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય : મુખ્યમંત્રી સરમાએ કહ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 12:00:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આસામમાં NRCને લઈને આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી કે NRC માટે અરજી કરવી ફરજિયાત છે અને જેમણે NRC માટે અરજી કરી નથી તેમને આધાર કાર્ડ આપવામાં નહીં આવે.
રાજ્યની હિમંતા બિસ્વા સરમા સરકારે કહ્યું કે જો અરજદાર અથવા તેના પરિવારે NRC માટે અરજી નહીં કરી હોય તો તો યુનિક આઇડેન્ટિટી કાર્ડ (આધાર) મેળવવા માટેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશના લોકો ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સરમાએ કહ્યું, “આસામ પોલીસ, ત્રિપુરા પોલીસ અને બીએસએફએ છેલ્લા બે મહિનામાં ઘૂસણખોરીના ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. એટલા માટે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય છે. આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવી પડશે. અને એટલા માટે જ આધાર મિકેનિઝમ કડક બનાવવામાં આવ્યું છે.” કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં સામાન્ય વહીવટ વિભાગ આધાર માટેના અરજદારોની ચકાસણીની કામગીરી જોશે અને દરેક જિલ્લામાં અધિક જિલ્લા કમિશનર આ કાર્ય માટે જવાબદાર રહેશે. સીએમએ કહ્યું, “પ્રાથમિક અરજી બાદ UIDAI તેને રાજ્ય સરકારને વેરિફિકેશન માટે મોકલશે અને પછી એક સર્કલ ઓફિસર પુષ્ટિ કરશે કે અરજદાર અથવા તેના પરિવારના સભ્યોએ NRC માટે અરજી કરી છે કે નહીં. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ નિયમ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ નહીં પડે.

Tags: aasamnrc applicant no aadhar card
Previous Post

દવા પૂરી થઈ જતાં માનસિક બીમાર યુવકે ‘એરપોર્ટને કોઈ ઉડાવી દેવાનું છે’ કોલ કરી તંત્રને દોડાવ્યું

Next Post

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.