Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે મોદી સરકારને આપી સલાહ

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 12:37:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તેમ હોય તો મોદી સરકારે અન્ય રસ્તાઓ વિચારવા જોઈએ. નાગપુરમાં ’સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સુનિલ આંબેકરે કહ્યું, “કેન્દ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવા નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જાય તો તેના માટે આપણે બીજો રસ્તો શોધવો પડશે.
આરએસએસના નેતાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો ઉદ્દેશ્ય હિંદુ સમુદાયને ઉખેડી નાખવાનો છે. માત્ર બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં જ આવી રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. અમે હિંદુઓ પર અત્યાચાર સહન નહીં કરીએ. જો આપણે આના પર કંઈ નહીં કરીએ તો આવનારી પેઢીઓ આપણા મૌન પર સવાલ ઉઠાવશે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે આ સમયે મુઘલ શાસનની યાદ અપાવે છે.
તેમણે કહ્યું, “આપણા મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે. લૂંટવામાં આવી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ બધું જોઈને દરેક હિંદુને ગુસ્સો આવવો જોઈએ. આ ઘટનાઓની માત્ર નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી. આપણે માત્ર ગુસ્સા અને દુ:ખમાંથી બહાર આવીને આગળ વધવાની જરૂર છે. બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, “નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાના નેતૃત્વમાં દેશમાં શાંતિ ન હોઈ શકે. તે અત્યાચાર રોકવા માટે કંઈ કરી રહ્યા નથી. આંબેકરે એમ પણ કહ્યું કે, કેટલીક વૈશ્ર્વિક શક્તિઓને ઓળખવાની જરૂર છે, જે બાંગ્લાદેશમાં હિંસા ફેલાવી રહી છે. આપણે તેને ઓળખીને તેનો પર્દાફાશ કરવાની જરૂર છે. તેમને બતાવી દેવાની જરૂર છે કે આપણા દેશમાં કે અન્ય દેશોમાં હિંદુઓ વિરુદ્ધ આવી ઘટનાઓ બંધ કરો. ઓક્ટોબર મહિનામાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Tags: BangladeshRsssunil ambekar
Previous Post

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

Next Post

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.