ભાવનગર શહેર અને જિલ્લા ભરમાં છેલ્લા ચારેક દિવસથી ઠાણીનું પ્રમાણ ઘટેલું રહેવાના કારણે હૃદયરોગ અને શ્વાસની બીમારીવાળા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે ઉત્તરાયણના દિવસે પડેલી કાતિલ ઠંડીમાં ભાવનગરમાં ચાર વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.
શહેરના ભરતનગર સીતારામ ચોક અર્બન સોસાયટીમાં રહેતા અજયભાઇ ચીમનભાઈ જેઠવાને તેના ઘરે છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં ફરજ પણ તબીબે તેમને તપાસી મારાં ગયેલ જાહેર કાર્ય હતા. જયારે બીજા બનાવમાં ભરતનગર ચોકડી પાસે આવેલ તખ્તેશ્વર હાઈટ્સમાં રહેતા મંજુલાબેન રાવજીભાઈ સોલંકી ઉ.વ.57ને પણ તેના ઘરે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી તણસા ખાતે રહેતા જમનાબેન વિઠ્ઠલભાઈ ચુડાસમા ઉ.વ.80 નામના વૃદ્ધાને રાત્રીના સમયે તેના ઘરે શ્વાસ ચડવા લગતા તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય એક બનાવમાં કુંભારવાડા માઢીયા રોડ ખાતે રહેતા જેન્તીભાઇ ભીખાભાઇ વાઘેલા ઉ.વ.65ને તેમના ઘરે શ્વાસ ચડવા લગતા તેમને પણ સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલજ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આમ એકજ દિવસમાં શ્વાસ અને છાતીમાં દુખાવાથી ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.