દેશભરમાં આગામી દિવસોમાં સમાન નાગરીક ધારો ‘કોમન સીવીલ કોડ’ લાગુ કરવાની મહત્વની કામગીરીમાં આજે ઉતરાખંડમાં આ નવો ધારો લાગુ થઈ ગયો છે. બંધારણમાં પણ સમગ્ર દેશમાં કોમન સીવીલ કોડ લાગુ કરવાનો માર્ગદર્શક સિદ્ધાંત છે અને આઝાદીનાં 75 વર્ષ બાદ તે એક નાના રાજયથી લાગુ થઈ રહ્યો છે. ઉતરાખંડ વિધાનસભામાં આ અંગેનો ખરડો મંજુર કર્યા બાદ રાષ્ટ્રપતિએ તેને બહાલ રાખતા આજથી તે રાજયમાં લાગુ થઈ ગયો છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ અંગેના એક પોર્ટલનો પ્રારંભ કર્યો હતો.
આવતીકાલે વડાપ્રધાન મોદી દહેરાદુન આવી રહ્યા છે તે પૂર્વ આ ધારો લાગુ કરી દેવાયો તે સૂચક છે. આ નવા ધારાના અમલથી હવે મુસ્લીમ પર્સનલ લો-સહીતનાં અલગ અલગ ધર્મનાં કાનુનોનાં સ્થાને હવે એક જ કાનુન હેઠળ તમામ ધર્મો આવી જશે. દેશમાં આ કાનુન લાગુ કરવામાં ઉતરાખંડ પ્રથમ રાજય બન્યુ છે. અગાઉ આ કાનુન લાગુ કરવા માટેની મોકડ્રીલ પણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓ જે મુદાઓ ઉપસ્થિત થયા તેનું નિરાકરણ કરાયું છે.
ઉતરાખંડ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ કોમન વિવિધ કોડ લાગુ થશે તેવા સંકેત છે. રાજય સરકારે આ માટેની પ્રાથમીક તૈયારીઓ કરી લીધી છે અને આ વર્ષમાં તે લાગુ થવાની શકયતા છે. ભાજપે પણ તેના પ્રારંભીક ચૂંટણી ઢંઢેરામાં કોમન વિવિધ કોડ લાગુ કરવાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાએ આવી હતી તેના અમલનો પ્રારંભ થયો છે. અગાઉ અયોધ્યા રામમંદિરનો મુદ્દો ભાજપે સફળ બનાવ્યો છે અને કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી પણ નિશ્ચિત કરી છે.