Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

NDA ગઠબંધનની સરકારમાં આંતરિક ડખા : ફડણવીસની બેઠકમાંથી બીજી વખત શિંદે ગેરહાજર

મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરીથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-02-04 11:35:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની આગેવાનીવાળી સરકારમાં આંતરિક ડખાં ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી, જેમાં અજિત પવાર તો પહોંચ્યા હતા, પરંતુ એકનાથ શિંદે ગેર હાજર રહ્યા હતા. અગાઉ પણ તેઓ ફડણવીસ દ્વારા બોલાવાયેલી કેબિનેટ મીટિંગમાં ગયા નહોતા. આમ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ગેર હાજરીથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
હકીકતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવાયેલી બેઠકમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થવાની હતી. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાઉસિંગ સાથે સંબંધિત મંત્રાલય એકનાથ શિંદે પાસે જ છે. આમ છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. જોકે, શિંદેના પક્ષ તરફથી ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે આ બેઠકમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે, અગાઉ ગત અઠવાડિયે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ શિંદે હાજર રહ્યા નહોતા. આમ એક જ અઠવાડિયામાં શિંદે બે મહત્ત્વપૂર્ણ બેઠકોથી દૂર રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં મંત્રી હતા, પરંતુ વર્ષ 2022માં તેણે શિવસેનામાં ભાગલા પાડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જે પછી રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી હતી અને એનડીએની સરકાર બની હતી. આ સરકારમાં શિંદેને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે, 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવાયા હતા, પરંતુ શિંદે આ વાતથી નારાજ થઇ ગયા હતા અને ઘણાં દિવસો સુધી તેઓ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિરોધમાં હતા.

Tags: fadanavisnda mitingshinde absent
Previous Post

ટ્રમ્પ અને મોદી વચ્ચે 13 ફેબ્રુઆરીએ મુલાકાત : સૂત્રો

Next Post

વોટ્સએપ યૂઝર્સ પર સાયબર એટેક : 90 પત્રકારોના એકાઉન્ટ હેક થયાનો મેટાનો સ્વીકાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
વોટ્સએપ યૂઝર્સ પર સાયબર એટેક : 90 પત્રકારોના એકાઉન્ટ હેક થયાનો મેટાનો સ્વીકાર

વોટ્સએપ યૂઝર્સ પર સાયબર એટેક : 90 પત્રકારોના એકાઉન્ટ હેક થયાનો મેટાનો સ્વીકાર

અમૃતસરના ફતેહગઢ ચુડીયા પોલીસ સ્ટેશન પર હુમલો

અમૃતસરના ફતેહગઢ ચુડીયા પોલીસ સ્ટેશન પર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.