શાહ ખી. લ. બહેરા મૂંગા શાળા ભાવનગરનો વાર્ષિકોત્સવ ” મૌન થનગનાટ ” શહેરના જાણીતા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે તા.૦૯ને રવિવારે ઉજવાઈ ગયો. જેમાં શાળાના તમામ વિભાગના શ્રવણમંદ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
શ્રવણ ખામી હોવા છતાં ઢોલના ધબકારે તાલ મેળવી તાળીઓની રમઝટ સાથે રાસ ગરબાની તથા બાળગીતો તેમજ શક્તિ આરાધના, શિવ તાંડવ તથા કૃષ્ણલીલા જેવી અદભુત પ્રસ્તુતિ નિહાળી આમંત્રિતો ઝૂમી ઉઠ્યા હતા. શાળાના તમામ ટ્રસ્ટીઓ, મંત્રીઓ, મહેમાનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના જ તમામ શિક્ષકોએ કોરિયોગ્રાફર, ગાયક-વાદક, તથા સંકલનની જવાબદારી સુપેરે નિભાવી હતી.