Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતા 65 મુસાફરોના મોત

મોટાભાગના મૃતકો પાકિસ્તાની હોવાની આશંકા, પાકિસ્તાન દૂતાવાસે મૃતકોની ઓળખ કરવા એક ટીમ મોકલી

dharmendravaghela by dharmendravaghela
2025-02-11 12:22:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ સોમવારે ઈસ્લામાબાદમાં આ માહિતી આપી છે.
વિદેશ કાર્યાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ‘ત્રિપોલીમાં અમારા દૂતાવાસે માહિતી આપી છે કે, લિબિયાના શહેર ઝાવિયાના ઉત્તર-પશ્ચિમમાં માર્સા ડેલા બંદર પાસે અંદાજે 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે. પાકિસ્તાન દૂતાવાસે મૃતકોની ઓળખ કરવા સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે ત્રિપોલીમાં એક ટીમ મોકલી છે, દૂતાવાસ પાકિસ્તાની પીડિતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.’
બોટ પલટી જવાની ઘટના બાદ પાકિસ્તાન સરકારે માનવ તસ્કરો અને એજન્ટો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે અધિકારીઓને સંડોવાયેલા ગુનેગારો અને દેશમાંથી લોકોના ગેરકાયદે મોકલવાની સુવિધા આપનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. ફેબ્રુઆરી 2025માં માનવ તસ્કરીમાં સંડોવણી બદલ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના 35 અધિકારીઓને પાકિસ્તાની એરપોર્ટ પરથી સસ્પેન્ડ કરાયા હતા.
વિદેશ કાર્યાલયે 65 મુસાફરોમાં પાકિસ્તાની નાગરિકોની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી. કાર્યાલયે કહ્યું કે, અમે મુસાફરોની રાષ્ટ્રીયતાની ઓળખ કરવા માટે લિબિયાનાં સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ પહેલા જાન્યુઆરી 2025માં આવી ઘટના બની હતી, જેમાં 66 પાકિસ્તાની નાગરિકો સહિત 86 મુસાફરોને લઈને જતી બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી. તેમાં માત્ર 36 લોકોને જ બચાવી શકાયા હતા. આ ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા.

Tags: libyamigrant boat accident
Previous Post

એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત

Next Post

અમેરિકા બાદ હવે UK સરકાર એક્શનમાં : અનેક ભારતીયોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકા બાદ હવે UK સરકાર એક્શનમાં : અનેક ભારતીયોની ધરપકડ

અમેરિકા બાદ હવે UK સરકાર એક્શનમાં : અનેક ભારતીયોની ધરપકડ

રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલજી '0' ચેક કરી લો... : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.