ટ્રસ્ટે સોમવારે મોડી રાત્રે ભવ્ય રામ મંદિરની 8 તસવીરો જાહેર કરી છે. આમાં, પહેલા માળે રામ દરબારની સ્થાપના માટે સફેદ આરસપહાણનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરની જેમ, પહેલા માળે પણ સિંહાસન અને ગર્ભગૃહ તૈયાર છે. ગર્ભગૃહમાં ભવ્ય કોતરણી કરવામાં આવી છે. સામે મંડપ બનેલો છે. તેના સ્તંભો પર પણ કોતરણી કરેલી છે અને જયપુરના પિન્ક સેન્ડ સ્ટોનમાંથી બનેલા છે.
રામ મંદિર ઉપરાંત, રામ જન્મભૂમિ સંકુલમાં વધુ 14 મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના માટે શુભ તારીખ 30 એપ્રિલ (અક્ષય તૃતીયા) અને પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂન (ગંગા દશેરા) નક્કી કરવામાં આવી છે. જો કે, ટ્રસ્ટની મંજૂરી હજુ બાકી છે.
બધી પ્રતિમાઓ રાજસ્થાનના જયપુરમાં તૈયાર થઈ રહી છે. બધી પ્રતિમાઓ 30 એપ્રિલ પહેલા અહીં પહોંચી જશે. રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સ્થાપિત થવાનો છે, જ્યારે બાઉન્ડ્રી વોલમાં 6 મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. આમાં ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.આ ઉપરાંત, સપ્ત મંડપમમાં 7 મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. આમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વશિષ્ઠ, નિષાદરાજ, અહલ્યા અને શબરીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે.