Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘સૌગાત-એ-મોદી’ : ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને આપશે ઇદી

ગરીબ લઘુમતી સમુદાયોને ૩૨ લાખ કિટનું વિતરણ

dharmendravaghela by dharmendravaghela
2025-03-22 12:09:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ભાજપ આગામી સમયમાં 32 લાખ ગરીબ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કિટનું વિતરણ કરવાનો છે. ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભાજપ 32 લાખ મુસ્લિમોને મદદ કરવા માટે મોદી કિટનું વિતરણ કરશે. આ માટે ભાજપે સંગઠન સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
ભાજપના 32000 પદાધિકારીઓને 32000 મસ્જિદોનો સંપર્ક સાધવાનું કામ સોંપાયું છે. તેના દ્વારા દરેક અધિકારી 100 ગરીબોને મદદ કરશે. આ રીતે ૩૨ લાખ કિટનું વિતરણ કરવામાં આવશે. ઈદ ઉજવવામાં ગરીબ પરિવારોને કોઈ મુશ્કેલી ન આવે અને તેમને કોઈ અછત ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવાનું પદાધિકારીઓને કહેવામાં આવ્યું છે. તેના માટે જ કિટ વહેંચવામાં આવશે. આ ઉપરાંત મોદીના નેતૃત્ત્વમાં એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં તેના વિશે પણ માહિતી જાહેર કરવામાં આવશે.
સિદ્દીકીએ વધુમાં જણાવ્યું કે, ઈદ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ, ભારતીય નવ વર્ષ ને ધ્યાનમાં રાખીને ધાર્મિક એકતા જળવાય અને સામાજિક સૌહાર્દ વધે તે માટે આ પ્રકારના કાર્યક્રમ કરાશે અને લોકોને મદદ પહોંચાડવામાં આવશે. મોદી કિટમાં જરૂરિયાતની વસ્તુઓ, કપડાં, ડ્રાયફ્રુટ, ખજૂર, સેવઈયા અને અન્ય સામગ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ગંગા-જમુની તહજિબને પ્રોત્સાહન અને બળ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રમઝાનમાં દાનનું મહત્ત્વ વધારે હોવાથી મિસ્કીન, નબળા પાડોશીઓ અને ગરીબ સંબંધીઓની મદદ કરવી જોઈએ. આ વિચારને ધ્યાને રાખીને ભાજપ દ્વારા ગરીબ લઘુમતી સમુદાયોને કિટનું વિતરણ કરવામાં આવશે.

Tags: bjpcampaignsaugaat e modi
Previous Post

અમેરિકા વધુ 295 ભારતીયોને કરશે ડિપોર્ટ

Next Post

ભાવનગરના ફુલસરમાં કાંગસીયા સમાજના જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના ફુલસરમાં કાંગસીયા સમાજના જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા

ભાવનગરના ફુલસરમાં કાંગસીયા સમાજના જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા

ભાવનગર LCBએ ચોરીના ગુનામાં તરસમીયાના શખ્સની ધરપકડ કરી

ભાવનગર LCBએ ચોરીના ગુનામાં તરસમીયાના શખ્સની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.