સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 5થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રીક્ષામા સવાર 5 થી પણ વધુના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. સર્જાયો છે. આ અકસ્માતમાં બસ પર રોડ નીચે ઉતરી ગઈ હતી. જ્યારે રીક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થયા છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે. તો બીજી તરફ આ પ્રકારના અકસ્માતમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગોઝારી ઘટના આજે સવારે પાટણ જિલ્લામાં સર્જાઈ છે. સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ST બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રીક્ષાને બસે ટક્કર મારતાં રીક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યું નીપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આ ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. રીક્ષામાંથી લોકોના મૃતદેહ પણ બહાર પડ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.