Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત

પરિવાર ઘોડા પર બેસી કુદરતી સૌંદર્ય નિહાળતા હતા અને ધડાધડ ગોળીબાર થયો

dharmendravaghela by dharmendravaghela
2025-04-23 11:57:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

22 એપ્રિલ મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેની અંતિમક્રિયા કરવામાં આવશે.
44 વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.
શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલના થયો હતો. જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23મી એપ્રિલ છે. એટલે કે જન્મદિનના એક દિવસ પહેલાં તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલિમા છવાઈ જવા પામી છે. શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતાં પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું. મોટા વરાછામાં કસ્તૂરી બંગલોમાં રહેતા હિતેશભાઈને ત્યાં સગાંસંબંધીઓ દોડી ગયા હતા. દરમિયાન શૈલેષભાઈના પિતરાઈભાઈ મયૂર તાકીદે મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટથી તેઓ શ્રીનગર જવા રવાના થયા છે. મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Tags: pahalgam attackshailesh kalathiyasurat
Previous Post

તમે મોદીને માથે ચઢાવી દીધા છે : આતંકવાદી

Next Post

આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશભાઈ તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશભાઈ તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત

આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશભાઈ તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત

આજે એર ઇન્ડિયા શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે ખાસ ફ્લાઇટ્સ ચલાવશે

આજે એર ઇન્ડિયા શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે ખાસ ફ્લાઇટ્સ ચલાવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.