પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીના સૌથી ક્રૂર હુમલાઓમાંનો એક છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને માર્યા ગયા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ ભયાનક હુમલાની સખત નિંદા કરી અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
તુલસી ગબાર્ડે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “પહલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને માર્યા ગયેલા આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે ભારત સાથે છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે તમારી સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં તમારું સમર્થન કરીએ છીએ.”